રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

નિવૃત્તિ સમયે

 માનભેર નિવૃત્ત થવાની કળા

Wide angle-Sandesh

• જ્યારે બધા રોકતા હોય ત્યારે વિદાય લઈ લેવી એ સર્વશ્રોષ્ઠ નિવૃત્તિ છે, પરંતુ જૂજ મહાનુભાવોને આવું સદભાગ્ય મળે છે...

સાચા કલાકારને પોતાનો રોલ ક્યા પૂરો થઈ ગયો એ ખબર હોય છે. ફિલ્મ 'ક્રાઈસ્ટ'માં કેસિનો માલિક તેના ઝનૂની દિકરાને કહે છે ''સચ્ચે ગેમ્બલરકો પતા હોતા હૈ કિ કબ ટેબલસે ઉઠ જાના ચાહિયે'' ટોચ ઉપર પહોંચ્યા પછી ત્યાં કાયમી રહી શકાતું નથી. વિજય રૂપાણી હોય કે મહેન્દ્રસિંહ ધોની કે પછી ફિલ્મ, કોર્પોરેટ વર્લ્ડ... સમય સાથે બદલાવ આવતો રહે છે. ક્યારેક હોદ્દાના ગ્લેમરમાં આ બદલાવને વ્યક્તિ ખુદ માપી શકતી નથી પરંતુ આવા સમયે યાદ રાખવું પડે કે ટોચ ઉપર પહોંચ્યા પછી ત્યાં કાયમી રહી શકાતું નથી. તમારી ઊંચાઈને જોઈને ઉપર ઉઠતા હાથ તમને 'સલામ' જેવા લાગે પરંતુ એ સલામ કરનારામાંથી અનેકની તૃષ્ણા પણ તમારા સ્થાને પહોંચવાની હોય છે !

ફીફા વર્લ્ડ પ્લેયર ઓફ ધ યર ફ્રાન્સના મશહૂર ફૂટબોલર ઝીનેડીન ઝિડાને વર્ષ-૨૦૦૬માં ગોલ્ડન બોલ મળ્યા બાદ નિવૃત્તિ જાહેર કરી માનભેર વિદાય લીધેલી, ફાઈનલ મેચમાં માર્કો મેટારાઝી સાથે ચાલુ મેચે મારામારી બદલ ઝિડાનને રેડ કાર્ડ મળેલું, આ સ્થિતિમાં ૩૪ વર્ષની વયે તેણે ગોલ્ડન બોલ સાથે સન્માનભેર અલવિદા કહી દીધી. વિશ્વમાં શ્રોષ્ઠ સ્ટ્રાઈકર ગણાતા બ્રાઝિલના રોનાલ્ડોએ ૬૨ ગોલ પછી નિવૃત્તિ જાહેર કરી ત્યારે તેની ઉંમર પણ ૩૪ વર્ષ હતી, ૧૦૦ મેચ પૂરા થવામાં માત્ર બે જ મેચ બાકી હતી છતા રોનાલ્ડોએ કહેલું 'દરેક ખેલાડીએ પોતાની ઈટૅૈિઅ ઙ્ઘટ્વંી જાતે નક્કી કરવી પડે છે.

૭૨ બિલીયન ડોલરના તાતા જૂથનું ૨૧ વર્ષ જતન કર્યા પછી ૭૫ વર્ષની વયે નિવૃત્તિ લેનાર રતન તાતા કે માઈક્રોસોફ્ટના બીલ ગેટ્સની કહાની પણ સમજવા જેવી છે. સૂરજ મધ્યાહને તપતો હોય, બધા જ રોકતા હોય,  કારકિર્દીનો ગ્રાફ ટોચ ઉપર હોય ત્યારે ગરિમાપૂર્ણ રીતે એક્ઝિટ કરવાનું સદ્ભાગ્ય બધાને મળતું નથી. તાજ્જૂબ થઈ જવાય તેવા કિર્તીમાનો સ્થાપનારા પણ જ્યારે નિવૃત્ત થાય ત્યારે તેની વિદાય એટલી ભવ્ય બનતી નથી. સચિન તેંડુલકરથી સૌરવ ગાંગુલી કે પછી કપિલ દેવ, સુનિલ ગાવસ્કરને જૂઓ... ફોર્મ ગૂમાવી દીધા પછીની અવસ્થામાં તેણે નિવૃત્તિ લીધેલી, ધારો કે તેણે બે-ચાર વર્ષ પહેલા 'ગૂડ બાય' કહ્યું હોત, તો કદાચ એ વધું ગૌરવપૂર્ણ હતું.

દક્ષિણ આફ્રિકાના ક્રિકેટનો પર્યાય ગણાતા જેક કાલીસે ૧૩,૧૭૪ રન અને ૨૯૨ વિકેટ બાદ નિવૃત્તિ જાહેર કરી ત્યારે તેના ચાહકો રસ્તા ઉપર ઉતરી આવેલા. કાલીસે કહેલું ''રમીએ તો હજૂ પણ રમી શકાય, પરંતુ ક્યાં સુધી ? ક્યારેક તો થંભવાનું જ છે, થોભવાનું છે. મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે એ જ રીતે નિવૃત્તિ એ કોઈપણ કારકિર્દીનું અંતિમ સત્ય છે. કોઈપણ ક્ષેત્રમાં કોઈ પણ કક્ષાએથી માણસે ક્યારેક તો ફેરબદલ સ્વીકારવી જ પડે છે.

રાજકારણમાં બુઝુર્ગોનો શંભુમેળો છવાયેલો છે, અહીં જનતા હટાવે નહીં ત્યાં સુધી જ્વલ્લે જ કોઈ નિવૃત્ત થાય છે- કેરળમાં સદીની નજીક પહોંચેલા સીપીઆઈ (એમ)ના વી એસ અચ્યૂતાનંદ કે પછી મહારાષ્ટ્રના રાષ્ટ્રીય કક્ષાના કિંગમેકર ૮૦ વર્ષિય શરદ પવાર... તબિયત ભલે સાથ ના આપે, પોલીટિક્સ જાણે ઓક્સિજન હોય તેમ છેલ્લા શ્વાસ સુધી નેતાઓ રાજકારણ રમતા રહે છે. મુજીવેલ કરૂણાનિધિ ૨૦૧૮માં મૃત્યુ પામ્યા ત્યારે તે ૯૪ વર્ષના હતા, તમિલનાડુમાં તે છેક સુધી પાવર ગેમનો હિસ્સો રહેલા.

શાહરૂખ, સલમાન અને આમીર ખાન ૫૫ વર્ષની વય વટાવી ચૂક્યા છે, એક સમયના ચોકલેટી બોય્સ ઈમેજને બદલાવીને સ્થાન જાળવી રહ્યા છે. અક્ષય ખાન (૫૪ વર્ષ), અજય દેવગ (૫૨ વર્ષ) પણ સિલેક્ટેડ ફિલ્મો સાથે બદલાવને સ્વીકારી રહ્યા છે. સમયની સાથે જે કેવી રીતે બદલાવું તેનું શ્રોષ્ઠ ઉદાહરણ અમિતાભ બચ્ચન છે, જે ૭૮ વર્ષની વયે પણ સદાબહાર છે. સફળતા અને શાલીનતા બન્નેની સંવાદિતા જાળવી રાખવી એ ટોચે પહોંચ્યા પછીનો મોટો પડકાર હોય છે.

ધારદાર યોર્કરથી ભલભલા બેટધરોને બોલ્ડ કરનાર શ્રાીલંકન પેસર લસિથ મલિંગાએ હમણા જ નિવૃત્તિ જાહેર કરી છે. ૨૦૧૪માં શ્રાીલંકાને ટી-૨૦ વર્લ્ડકપ જીતાડનાર ટીમના કપ્તાન મલિંગાની ટ્રેજેડી જૂઓ તેને દુબઈમાં રમાનાર ટી-૨૦ વર્લ્ડકપ માટેની શ્રાીલંકાની ટીમમાં સ્થાન મળ્યું નથી, હવે તેણે દુઃખી હૃદયે નિવૃત્તિ લેવી પડે છે.

સાચા લીડર્સ એ છે જે પોતાની લીડરશિપમાં જ સેકન્ડ કેડરને પ્રોત્સાહિત કરે છે અને ચોક્કસ સમયે બીજાને સૂકાન સોંપે છે. ટોચ ઉપર પહોંચનાર માટે એ જ ક્ષણથી નીચે ઉતરવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ જતું હોય છે. કોઈ હટાવે ત્યારે ઉતરવું કે માનભેર એક નિિૃત સમયે હટી જવું એ ખુદ ઉપર નિર્ભર હોય છે.

ઝૂમ ઈન   

નજરો સે જુદા હુઆ

ના દિલ સે જુદા હુઆ

યુ અલવિદા હુઆ ભી તો

ક્યા અલવિદા હુઆ

  ઝૂમ આઉટ   

અલવિદા કહતે જબ કોઈ નિશાની માંગી

વો હસકે બોલે' જૂદાઈ કાફી નહીં હૈ ક્યાં ?सुबह सुबह ज़िंदगी की शुरुआत होती है किसी अपने  समाजबंधुसे बात हो तो खास होती है,

हर्ष के  से अपनो को गुड मॉर्निंग बोलो तो खुशियाँ अपने आप बढ़ जाती है.

સોમવાર, 21 એપ્રિલ, 2025

વાસ્તુ શાસ્ત્ર વિશે વિચાર

 વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર બનાવવું?

વાસ્તુશાસ્ત્ર એ એક પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને ડિઝાઇન ફિલસૂફી છે જે સુમેળભર્યા રહેવાની જગ્યાઓ બનાવવા માટે માર્ગદર્શિકા પ્રદાન કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરની ડિઝાઇન અને લેઆઉટ સકારાત્મક ઉર્જા, સુખાકારી અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. અહીં વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર બનાવતી વખતે ધ્યાનમાં લેવાના કેટલાક સામાન્ય સિદ્ધાંતો છે:


1. રિએન્ટેશન અને દિશાઓ:


મુખ્ય પ્રવેશદ્વાર આદર્શ રીતે પૂર્વ, ઉત્તર અથવા ઉત્તરપૂર્વ તરફ હોવો જોઈએ, કારણ કે આ દિશાઓ શુભ માનવામાં આવે છે. દક્ષિણ અથવા દક્ષિણ-પશ્ચિમ તરફના પ્રવેશદ્વારોને સામાન્ય રીતે ટાળવામાં આવે છે.


ઘર એવું બનાવવું જોઈએ કે કેન્દ્ર અથવા બ્રહ્મસ્થાન ખુલ્લું રહે અથવા ઓછામાં ઓછું અવરોધતું રહે.


2. શયનખંડ:


માસ્ટર બેડરૂમ ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં શ્રેષ્ઠ સ્થિત છે, કારણ કે તે સ્થિરતા અને સમૃદ્ધિ સાથે સંકળાયેલું છે.


બાળકોના શયનખંડ પશ્ચિમ અથવા ઉત્તર પશ્ચિમમાં હોઈ શકે છે.


બેડરૂમમાં ચોરસ અથવા લંબચોરસ આકાર હોવો જોઈએ અને તેમાં કોઈ અનિયમિત ખૂણા કે કટ ન હોવા જોઈએ.


3. રસોડું:


રસોડું શ્રેષ્ઠ દક્ષિણપૂર્વ ખૂણામાં સ્થિત છે, જે અગ્નિ તત્વ સાથે સંકળાયેલું છે. એવું માનવામાં આવે છે કે આ આરોગ્ય અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપે છે.


રસોઈનું પ્લેટફોર્મ અથવા સ્ટવ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ, જેથી રસોઈયાને ભોજન બનાવતી વખતે શુભ દિશા તરફ મુખ કરી શકાય.


4. લિવિંગ રૂમ:


લિવિંગ રૂમ આદર્શ રીતે ઘરના ઉત્તર-પૂર્વ, ઉત્તર અથવા પૂર્વ ભાગમાં સ્થિત છે.


તે સારી રીતે પ્રકાશિત અને જગ્યા ધરાવતું હોવું જોઈએ, સામાજિક ક્રિયાપ્રતિક્રિયા અને હકારાત્મકતાને પ્રોત્સાહન આપતું હોવું જોઈએ.


5. બાથરૂમ અને WC:


બાથરૂમ અને ડબલ્યુસી ઉત્તરપશ્ચિમ, પશ્ચિમ અથવા દક્ષિણપૂર્વમાં શ્રેષ્ઠ રીતે મૂકવામાં આવે છે.


બાથરૂમ ઘરના ઉત્તર-પૂર્વ અથવા દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં ન હોવું જોઈએ, કારણ કે આ અશુભ માનવામાં આવે છે.


6. દાદર:


ઘરની દક્ષિણ-પશ્ચિમ, દક્ષિણ કે પશ્ચિમ દિશામાં દાદર બાંધવો જોઈએ.


સકારાત્મક ઉર્જા પ્રવાહ માટે સીડી ઘડિયાળની દિશામાં ચઢવી જોઈએ.


7. સ્ટોર્સ અને પેન્ટ્રી:


સંગ્રહ વિસ્તારો, જેમ કે પેન્ટ્રી અથવા સ્ટોરેજ રૂમ, ઘરના ઉત્તરપશ્ચિમ, પશ્ચિમ અથવા દક્ષિણ ભાગોમાં સ્થિત હોઈ શકે છે.


8. વિન્ડોઝ અને વેન્ટિલેશન:


ઘરના દરેક રૂમ માટે યોગ્ય વેન્ટિલેશન અને પૂરતો કુદરતી પ્રકાશ જરૂરી છે.


વધુ કુદરતી પ્રકાશ અને હવાને મંજૂરી આપવા માટે વિન્ડો ઉત્તર અને પૂર્વ બાજુઓ પર મોટી હોવી જોઈએ.


9. રંગો અને સજાવટ:


આંતરિક સજાવટમાં રંગોનો ઉપયોગ સંતુલન અને સંવાદિતા બનાવવા માટે પાંચ કુદરતી તત્વો (પૃથ્વી, પાણી, અગ્નિ, હવા અને અવકાશ) સાથે સંરેખિત થવો જોઈએ.


10. ક્લટર ટાળો:


ઘરને અવ્યવસ્થિત અને વ્યવસ્થિત રાખો. એવું માનવામાં આવે છે કે ક્લટર સકારાત્મક ઊર્જાના પ્રવાહમાં વિક્ષેપ પાડે છે.


11. લેન્ડસ્કેપિંગ:

લેન્ડસ્કેપિંગ, જેમ કે વૃક્ષો અને છોડની પ્લેસમેન્ટ, ઘરની આસપાસ ઊર્જા વધારવા માટે વાસ્તુ સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ.


એ નોંધવું અગત્યનું છે કે જ્યારે વાસ્તુ શાસ્ત્ર માર્ગદર્શિકા પ્રદાન કરે છે, ત્યારે ઘણા લોકો આ સિદ્ધાંતોને તેમની વ્યક્તિગત પસંદગીઓ અને આધુનિક જીવનશૈલીમાં અનુકૂલન કરવાનું પસંદ કરે છે. બધી દિશાનિર્દેશો દરેક પરિસ્થિતિમાં વ્યવહારુ અથવા શક્ય ન હોઈ શકે, અને વ્યક્તિગત અને સાંસ્કૃતિક માન્યતાઓ ડિઝાઇન પસંદગીઓને પ્રભાવિત કરી શકે છે. આખરે, સંવાદિતા અને સંતુલનની ભાવના જાળવી રાખીને, સૌથી મહત્વપૂર્ણ પાસું એ ઘર બનાવવું છે.

આપણા દેશમાં અનેક પ્રાચીન ઈમારતો વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત મુજબ બનેલી છે તેથી આજે પણ સુરક્ષિત છે. વાસ્તુશાસ્ત્રના નિયમો પાળવાથી ત્યાં રહેતા લોકોના સ્વાસ્થ્ય, શાંતિ, સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. ઘરની સુખ શાંતિમાં વધારો કરવા માટે મકાન બાંધતી વખતે નીચેની બાબતોને ધ્યાનમાં રાખો.

દરેક ઘરમાં પૂજાસ્થાન હોવું અનિવાર્ય છે. પૂજાનું સ્થાન ઈશાન એટલે કે ઉત્તર પૂર્વ ખૂણામાં હોવું જોઈએ. આ ખૂણામાં પાણીની ટાંકી પણ બનાવી શકાય. તમારા ઘરના ડ્રોઈન્ગ રૂમના ઈશાન ખૂણામાં એક્વેરિયમ પણ મૂકી શકાય.


- ઘરના દક્ષિણ-પૂર્વનો ભાગ અગ્નિ ખૂણા તરીકે ઓળખાય છે. આ ખૂણો રસોડુ બનાવવા માટે શુભ માનવામાં આવે છે. જો એક કે બે જ રૂમ હોય તો રસોડું આ જ દિશામાં બનાવવું યોગ્ય છે. કોઈ અગમ્ય કારણોસર જો રસોડું અગ્નિ ખૂણામાં ન બની શક્યુ હોય તો ઉત્તર-પશ્વિમ ખૂણામાં બનાવી શકાય. અગ્નિ ખૂણામાં પાણીની ટાંકી, નળ અથવા જળ સંબંધી કોઈપણ વસ્તુ મુકવી જોઈએ નહી. આ ખૂણો ઈલેક્ટ્રીક વસ્તુઓ માટે યોગ્ય છે, જેવુ કે સ્વીચબોર્ડ, ટીવી, વગેરે.


- ઘરના વાયવ્ય ખૂણામાં(ઉત્તર-પશ્ચિમ)બારી અને બાલ્કની હોવી એ શુભ ગણાય છે. ડ્રોઈંગરૂમ કે અન્ય રૂમના વાયવ્ય ખૂણામાં કૂલર-પંખા મુકી શકાય છે.

- - ઘરનું કેન્દ્ર જેન બ્રહ્મ સ્થાન કહેવાય છે અને દરેક ઓરડાનું કેન્દ્ર હંમેશા ખાલી હોવું જોઈએ. બ્રહ્મ સ્થાન હંમેશા સ્વચ્છ હોવું જોઈએ, તેમજ ત્યાં કોઈ વજનદાર ટેબલ ન મુકવુ.


- મુખ્ય બેડરૂમ નેઋત્ય દિશામાં હોવો જોઈએ. બાળકોનો શયનખંડ બાળકોનો બેડરૂમ પૂર્વ દિશામાં અને તેમનો સ્ટડી રૂમ ઈશાન દિશામાં શુભ ગણાય છે. કુંવારી છોકરીઓનો બેડરૂમ વાયવ્ય દિશામાં શુભ ગણાય છે.


- પતિ પત્નીના રૂમમાં હંસનુ જોડુ કે સારસના જોડાનુ ચિત્ર લગાવવુ શુભ ગણાય છે. આ ચિત્ર સૂતી વખતે દેખાય તે રીતે મુકવુ જોઈએ. જેનાથી બંને વચ્ચે પ્રેમ જળવાય રહે છે.


- દરેક રૂમમાં યોગ્ય કલર કરાવવો જોઈએ. જેમ કે બેડરૂમમાં આસમાની કે લીલો જે શીતળતા આપે છે પીળો અને નારંગી પણ લઈ શકાય કારણકે આ કલર ઉત્સાહ વધારનારો છે.

- વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કેવું હોવુ જોઈએ આપણું ઘર:

ઘરમાં પૂજાસ્થાન હોવું અનિવાર્ય

ઈશાન ખૂણામાં એક્વેરિયમ મૂકી શકાય

અગ્નિ ખૂણામાં રસોડું બનાવવું શુભ

વાયવ્ય ખૂણામાં બારી અને બાલ્કની હોવી શુભ 

ઘરનું કેન્દ્ર બ્રહ્મ સ્થાન કહેવાય

ઓરડાનું કેન્દ્ર હંમેશા ખાલી હોવું જોઈએ

મુખ્ય બેડરૂમ નેઋત્ય દિશામાં હોવો જોઈએ

પતિ પત્નીના રૂમમાં હંસનુ જોડુ કે સારસના જોડાનું ચિત્ર લગાવવુ શુભ

દરેક રૂમમાં યોગ્ય કલર કરાવવો જોઈએ.

ઘરના દક્ષિણ-પૂર્વનો ભાગ અગ્નિ ખૂણા તરીકે ઓળખાય છે. આ ખૂણો રસોડુ બનાવવા માટે શુભ માનવામાં આવે છે. જો એક કે બે જ રૂમ હોય તો રસોડું આ જ દિશામાં બનાવવું યોગ્ય છે. કોઈ અગમ્ય કારણોસર જો રસોડું અગ્નિ ખૂણામાં ન બની શક્યુ હોય તો ઉત્તર-પશ્વિમ ખૂણામાં બનાવી શકાય. અગ્નિ ખૂણામાં પાણીની ટાંકી, નળ અથવા જળ સંબંધી કોઈપણ વસ્તુ મુકવી જોઈએ નહી. આ ખૂણો ઈલેક્ટ્રીક વસ્તુઓ માટે યોગ્ય છે, જેવુ કે સ્વીચબોર્ડ, ટીવી, વગેરે.

- ઘરના વાયવ્ય ખૂણામાં(ઉત્તર-પશ્ચિમ)બારી અને બાલ્કની હોવી એ શુભ ગણાય છે. ડ્રોઈંગરૂમ કે અન્ય રૂમના વાયવ્ય ખૂણામાં કૂલર-પંખા મુકી શકાય છે.



-ઘરનું કેન્દ્ર જેન બ્રહ્મ સ્થાન કહેવાય છે અને દરેક ઓરડાનું કેન્દ્ર હંમેશા ખાલી હોવું જોઈએ. બ્રહ્મ સ્થાન હંમેશા સ્વચ્છ હોવું જોઈએ, તેમજ ત્યાં કોઈ વજનદાર ટેબલ ન મુકવુ.



- મુખ્ય બેડરૂમ નેઋત્ય દિશામાં હોવો જોઈએ. બાળકોનો શયનખંડ બાળકોનો બેડરૂમ પૂર્વ દિશામાં અને તેમનો સ્ટડી રૂમ ઈશાન દિશામાં શુભ ગણાય છે. કુંવારી છોકરીઓનો બેડરૂમ વાયવ્ય દિશામાં શુભ ગણાય છે.

- દરેક રૂમમાં યોગ્ય કલર કરાવવો જોઈએ. જેમ કે બેડરૂમમાં આસમાની કે લીલો જે શીતળતા આપે છે પીળો અને નારંગી પણ લઈ શકાય કારણકે આ કલર ઉત્સાહ વધારનારો છે.

- વીધિ શૂળ :

વીધિ શૂળ એ એક એવી સ્થિતિ છે, જેમાં રોડ પ્લોટની સાથે જોડાય છે. કેટલાક વીધિ શૂળ હકારાત્મકતા લાવે છે અને અન્ય કેટલાક નકારાત્મક ઊર્જા લાવે છે. ઉત્તર-પૂર્વ (ઇશાન)ની ઉત્તરે, ઉત્તર-પૂર્વ (ઇશાન)ની પૂર્વે રહેલા વીધિ શૂળને શ્રેષ્ઠ માનવામાં આવે છે, જ્યારે દક્ષિણ-પૂર્વ (અગ્નિ)ની દક્ષિણે, ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય)ની પશ્ચિમે આવેલા વીધિ શૂળને મધ્યમ કક્ષાના માનવામાં આવે છે.

જ્યારે ઘરના વાસ્તુ અંગે વિચારી રહ્યાં હોઇએ ત્યારે પાણીના સ્રોતો એ વધુ એક એવું પાસું છે, જેની પર ધ્યાન આપવું જરૂરી છે. ટાંકી, કૂવા કે પાણીના અન્ય કોઈ સ્રોત માટે ઉત્તર-પૂર્વ (ઇશાન)ને શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે. ઉત્તર દિશાને ઘરમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આથી જ તેને ખાલી રાખવી જોઇએ. આ ખાલી જગ્યાનો ઉપયોગ પાણીની ટાંકી માટે કરી શકાય, જે હકારાત્મક પ્રભાવ પાડી શકે છે.


મુખ્ય પ્રવેશદ્વારનું વાસ્તુ એ સૌથી મહત્વનું પાસું છે, કારણ કે, તે તમારા ઘરનું પ્રવેશદ્વાર છે. ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ (ઇશાન) દિશામાં હોવો જોઇએ. મુખ્ય દરવાજો ચઢિયાતી ગુણવત્તાના લાકડાંમાંથી બનાવવો જોઇએ. તે સૌથી આકર્ષક દેખાવો જોઇએ. મુખ્ય દરવાજાની બહાર કોઈ ફુવારો કે પાણીની અન્ય કોઈ સુશોભનાત્મક ચીજને મૂકવાનું ટાળો.

બેઠક રૂમ એ એક એવી જગ્યા છે, જ્યાં ઘરની મોટાભાગની પ્રવૃત્તિઓ થાય છે. તે ઘર વિશેની પહેલી છાપ પાડે છે, આથી અહીં કોઈ અવ્યવસ્થા ન હોય તેની ખાતરી કરો. તે પૂર્વ, ઉત્તર કે ઉત્તર-પૂર્વ (ઇશાન) તરફ હોવો જોઇએ. ભારે ફર્નિચરને બેઠક રૂમની પશ્ચિમમાં કે દક્ષિણ-પશ્ચિમ (નેઋત્ય)માં રાખવું જોઇએ.

આદર્શ રીતે જોવા જઇએ તો, દક્ષિણ-પશ્ચિમ (નેઋત્ય) દિશામાં આવેલો બેડરૂમ સારું આરોગ્ય અને સમૃદ્ધિ આપે છે. પલંગને બેડરૂમના દક્ષિણ-પશ્ચિમ (નેઋત્ય) ખૂણામાં મૂકવો જોઇએ. પલંગની સામે અરીસો કે ટેલીવિઝન મૂકવાનું ટાળો.

બાળકોનો રૂમ ઉત્તર-પૂર્વ (ઇશાન) દિશામાં હોવો જોઇએ, કારણ કે, તેનાથી બાળકને બુદ્ધિચાતુર્ય, સામર્થ્ય અને શક્તિ પ્રાપ્ત થાય તેની ખાતરી થઈ શકે છે. આ જ દિશામાં પલંગ મૂકવાથી બાળકને હકારાત્મકતા પ્રાપ્ત થાય તેની ખાતરી કરી શકાય છે.


રસોડા માટે દક્ષિણ-પૂર્વ (અગ્નિ) દિશા આદર્શ ગણાય છે. રસોડાની દિવાલો માટે પીળો, ગુલાબી, કેસરી, લાલ અને કાળા જેવા ઘેરા રંગોને પસંદ કરો. સ્ટવ દક્ષિણ-પૂર્વ દિશામાં મૂકવામાં આવ્યો હોય તેની ખાતરી કરો.

વ્યક્તિએ પૂર્વ, પશ્ચિમ અથવા ઉત્તર દિશામાં મોં રાખીને ખાવાનું ખાવું જોઇએ. નિયમિતપણે દક્ષિણ તરફ મોં રાખીને ખાવાનું ખાવાથી આરોગ્યની સમસ્યાઓ પેદા થઈ શકે છે. ડાઇનિંગ ટેબલ ચોરસ અથવા લંબચોરસ હોવું જોઇએ, ગોળ કે અન્ય કોઈ અનિયમિત આકારનું નહીં.

પૂર્વ કે ઉત્તર-પૂર્વ (ઇશાન) દિશા એ પૂજા રૂમ માટે શ્રેષ્ઠ ગણાય છે. તેમાં પવિત્ર વેદી બનાવો અને તેને મીણબત્તીઓ અથવા અગરબત્તીઓ વડે સુશોભિત કરો. તેની દિવાલો માટે સફેદ, ઘાટ્ટો પીળો, આછો પીળો કે લીલો રંગ શ્રેષ્ઠ વિકલ્પો છે.

વાસ્તુ મુજબ વૉશબેઝિન અને શૉવરની જગ્યા બાથરૂમના પૂર્વ, ઉત્તર અને ઉત્તર-પૂર્વ (ઇશાન) હિસ્સામાં હોવી જોઇએ. બાથરૂમ અને શૌચાલયમાં પાણીના આઉટલેટ અને ડ્રેનેજની વાસ્તુ મુજબની સાચી દિશા ઉત્તર, પૂર્વ કે ઉત્તર-પૂર્વ છે.


અગાસીનું નિર્માણ ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ (ઇશાન) દિશામાં કરવું જોઇએ. અગાસી દક્ષિણ-પશ્ચિમ (નેઋત્ય) કે દક્ષિણ દિશામાં હોવી જોઇએ નહીં.

માનવ જીવનમાં દિશાઓનું પણ મહત્વપૂર્ણ સ્થાન છે. જીવનને સુખી અને સમુદ્ધિશાળી બનામાં તેમનું સ્થાન સર્વોપરિ છે. અન્યથા

સુખ-શાંતિ અને સફળતા પ્રાપ્તિમાં કેટલાક અવરોધોનો સામનો કરવો પડે છે. અમારું પ્રાચીન વિજ્ઞાન પણ દિશાઓના મહત્વને દર્શાવે છે.


* જ્યારે શયનકક્ષમાં તમે ઉંઘી રહ્યાં હોય તો આપનું મસ્તિષ્ક દક્ષિણ દિશામાં હોવું જોઈએ. શયનકક્ષમાં એઠા વાસણો રાખવા જોઈએ નહીં.


* મુખ્ય દરવાજો ઘરની અંદરથી ખુલવો જોઈએ તથા મુખ્ય દરવાજો બે પાટાઓમાં હોવો જોઈએ.


* દવાઓ રાખવાનું સ્થાન ઉત્તર દિશામાં રાખવું ઉચિત રહે છે.


* શૌચાલયમાં જતી વેળાએ શૌચકર્તાનું મુખ પૂર્વ દિશામાં કંઈ પણ ન હોવું જોઈએ.


* અધ્યન કરતી વેળાએ વાચનાર વ્યક્તિનું મુખ પૂર્વ દિશામાં રહેવું જોઈએ.


* દેવી-દેવતઓનું આરાધના સ્થળ પૂર્વ દિશા અથવા ઈશાન કોણમાં હોવું જોઈએ તથા પૂજાગૃહ જો દક્ષિણ તરફ હોય તો તેની વિપરીત અસર પડે છે.


* કુવો અથવા બોરિંગ ઈશાન, ઉત્તર અથવા પૂર્વ દિશામાં હોવું જરૂરી છે.


* દક્ષિણ-પશ્વિમ દિશાની દીવાલો પૂર્વ અથવા ઉત્તર દિશાની દીવાલોથી મોટી હોવી જોઈએ.


* ભવનની જમીનનો ઢોળાવ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોવો જોઈએ.


* દક્ષિણ-પશ્વિમ દિશાને કદી પણ ખાલી ન રાખવી જોઈએ આ સ્થળ સર્વાધિક ભરેલું રહેવું જોઈએ.


* સ્નાનાગાર પૂર્વ દિશા તરફ હોવું જોઈએ તથા તેનો ઢોળાવ ઉત્તર-પૂર્વ અથવા ઈશાન કોણ તરફ હોવો જોઈએ. રસોઈઘર દક્ષિણ-પૂર્વ દિશામાં હોવું જોઈએ.


* સીડીઓની નીચે કદી પણ તિજોરી રાખવી ન જોઈએ.

* R

* ઘર સામે કોઈ મંદિરનું પ્રવેશદ્રાર ન હોવું જોઈએ.


* ભોજન કરતી વખતે ભોજન કરવ્નારનું મુખ દક્ષિણ દિશા તરફ કદી પણ ન હોવું જોઈએ.


* ભવનમાં મહાભારતના યુદ્ધના દૃશ્યોની તસવીરો લગાડવી અનુચિત છે.


* પૂજા સ્થળમાં બેસવા માટે ઉનના આસનનો ઉપયોગ કરવો જોઈએ તથા રસોઈઘરમાં આરાધના સ્થળ ક્યારેય ન બનાવવું જોઈએ.


* બેસમેન્ટ ઉત્તર અને પૂર્વ દિશામાં હોવું જરૂરી છે.


* ઘરની સામે કોઈ ખાડો ન હોવો જોઈએ નહીં તો અનેક મુશ્કેલીઓ આવી શકે છે.


* મહેમાનોના આદરસત્કાર વેળાએ આપનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ રાખો જેથી કોઈ અનિષ્ટ ન થાય.

* -દરેક ઘરમાં પૂજાસ્થાન હોવું અનિવાર્ય છે. પૂજાનું સ્થાન ઈશાન એટલે કે ઉત્તર પૂર્વ ખૂણામાં હોવું જોઈએ. આ ખૂણામાં પાણીની ટાંકી પણ બનાવી શકાય. તમારા ઘરના ડ્રોઈન્ગ રૂમના ઈશાન ખૂણામાં એક્વેરિયમ પણ મૂકી શકાય.

-ઘરના દક્ષિણ-પૂર્વનો ભાગ અગ્નિ ખૂણા તરીકે ઓળખાય છે. આ ખૂણો રસોડુ બનાવવા માટે શુભ માનવામાં આવે છે. જો એક કે બે જ રૂમ હોય તો રસોડું આ જ દિશામાં બનાવવું યોગ્ય છે. કોઈ અગમ્ય કારણોસર જો રસોડું અગ્નિ ખૂણામાં ન બની શક્યુ હોય તો ઉત્તર-પશ્વિમ ખૂણામાં બનાવી શકાય. અગ્નિ ખૂણામાં પાણીની ટાંકી, નળ અથવા જળ સંબંધી કોઈપણ વસ્તુ મુકવી જોઈએ નહી. આ ખૂણો ઈલેક્ટ્રીક વસ્તુઓ માટે યોગ્ય છે, જેવુ કે સ્વીચબોર્ડ, ટીવી, વગેરે.

– ઘરના વાયવ્ય ખૂણામાં(ઉત્તર-પશ્ચિમ)બારી અને બાલ્કની હોવી એ શુભ ગણાય છે. ડ્રોઈંગરૂમ કે અન્ય રૂમના વાયવ્ય ખૂણામાં કૂલર-પંખા મુકી શકાય છે.

-ઘરનું કેન્દ્ર જેન બ્રહ્મ સ્થાન કહેવાય છે અને દરેક ઓરડાનું કેન્દ્ર હંમેશા ખાલી હોવું જોઈએ. બ્રહ્મ સ્થાન હંમેશા સ્વચ્છ હોવું જોઈએ, તેમજ ત્યાં કોઈ વજનદાર ટેબલ ન મુકવુ.

– મુખ્ય બેડરૂમ નેઋત્ય દિશામાં હોવો જોઈએ. બાળકોનો શયનખંડ બાળકોનો બેડરૂમ પૂર્વ દિશામાં અને તેમનો સ્ટડી રૂમ ઈશાન દિશામાં શુભ ગણાય છે. કુંવારી છોકરીઓનો બેડરૂમ વાયવ્ય દિશામાં શુભ ગણાય છે.

– દરેક રૂમમાં યોગ્ય કલર કરાવવો જોઈએ. જેમ કે બેડરૂમમાં આસમાની કે લીલો જે શીતળતા આપે છે પીળો અને નારંગી પણ લઈ શકાય કારણકે આ કલર ઉત્સાહ વધારનારો છે.


ઉપયોગી ટિપ્સ

* વાસ્તુશાસ્ત્રમાં ઇશાન દિશાને પવિત્ર માનવામાં આવે છે, તેથી ઘરમાં હંમેશાં ઇશાન દિશાને સ્વચ્છ અને પવિત્ર રાખવી. કચરાની ડોલ, ભંગાર માલ, બિનજરૂરી વસ્તુ અથવા કાટ ખાતી વસ્તુઓનો સંગ્રહ આ દિશામાં કરવો નહીં. આ દિશામાં ઝાડુ પણ ન મૂકવું.

* ઇશાન દિશામાં બેસીને વાદવિવાદ, ઝઘડો, બૂમાબૂમ ટાળવી.

* ઇશાન દિશામાં શક્ય તેટલી ખુલ્લી જગ્યા રાખવી. પાણી ભરેલું માટલું રાખવું.

* ઇશાન બાજુની બાલ્કની ક્યારેય પણ બંધ કરાવવી નહીં તેમ કરવાથી ભાગ્ય રૃંધાય છે.

* પ્રાતઃકાળે સ્નાન કરીને પૂર્વ દિશામાં સૂર્યનારાયણની પૂજા કરવી, તુલસીને પાણી નાખવું, તેથી આયુષ્ય વધે છે. આરોગ્ય સારું રહે ને જીવનમાં સારાં કાર્યો થાય.

* ઘરમાં એકાદ તુલસીનો છોડ હોવો જોઈએ. જે ઘરમાં તુલસી આપોઆપ આવે, ફૂલે ને ફળે તે વાસ્તુ (ઘર)પવિત્ર હોય છે. જે વાસ્તુમાં તુલસી ટકે નહીં તે વાસ્તુમાં કોઈ દોષ હોવાની શક્યતા રહે છે. તુલસી તરફ દુર્લક્ષ ન રાખવું જોઈએ. પાણી વગરની, દેખરેખ વગરની તુલસી ઘરમાં હોય ત્યાં કંઈક અનિષ્ટ થઈ શકે છે એમ સમજવું.

* ચાલુ ઘડિયાળ વગર કારણે વારંવાર બંધ પડે તો એ અશુભ નિશાની છે. ઘરમાં લોલકનું એકાદ ઘડિયાળ અવશ્ય હોવું જોઈએ. જેની જન્મ પત્રિકામાં રવિ-શનિ અથવા શનિ-ચંદ્ર છે તેમણે વધુ કાળજી લેવી.

* અગ્નિને અગ્નિ દિશામાં પેટાવવાથી અગ્નિ દેવતા કોપાયમાન થતા નથી. અગ્નિ દિશામાં પાણીનો સંગ્રહ કરવો નહીં તેનાથી આરોગ્ય બગડે છે.

* રસોઈ કરતી વખતે ગૃહિણીનું મુખ પૂર્વ તરફ રહે તે રીતે રસોડું બનાવવું જોઈએ.

* સોફાસેટ, લોખંડનું કબાટ, ગ્રાઇન્ડર, લોખંડના હથિયાર એવી ભારે વસ્તુઓ દક્ષિણ તરફથી પશ્ચિમ તરફ ઊતરતી ઊંચાઈ પર ગોઠવવી.

* પૂજાસ્થાન કે મંદિર બને ત્યાં સુધી રસોડામાં ન રાખવું. તેમજ પૂજાસ્થાન નીચે કે ઉપર બોજો અથવા સામાન મૂકવો નહીં. રસોડામાં પૂજાસ્થાનની પવિત્રતા સચવાતી નથી.

* દક્ષિણ અને પશ્ચિમ તરફના દરવાજાનો વપરાશ શક્ય તેટલો ઓછો કરવો. શક્ય હોય તો વપરાશ બંધ રાખવો.

* દિવસના ૨૪ કલાકમાં ૮ કલાક વિશ્રાંતિની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વના છે. શયનકક્ષ ઇશાન કે પૂર્વમાં ન રાખવો. અગ્નિ દિશામાં પણ ન રાખવો. ૨૪ કલાક સ્ત્રી ઘરમાં હોય છે, તેથી વાસ્તુની અસર તેના પર વધારે હોય છે.

* ઊંઘતી વખતે દક્ષિણ દિશામાં પગ રાખવા નહીં. મગજમાં લોહીનો પુરવઠો અનિયમિત થવાથી આખો દિવસ બેચેની રહે છે. શારીરિક કે માનસિક સમતોલન બગડે છે તથા અસાધ્ય રોગ થાય છે.

* ઉત્તર તરફનાં બારી-બારણાં ખુલ્લાં જ રાખવાં. પૂર્વની જેમ જ ઉત્તર તરફની બાલ્કની પણ બંધ ન કરવી.

* ભોજનકક્ષ પશ્ચિમ ખૂણામાં રાખવો.

* ધાન્ય (અનાજ)નો સંગ્રહ નૈઋત્ય દિશામાં કરવો.

* મુખ્ય દરવાજા પર કોઈ ને કોઈ મંગલ ચિહ્ન રાખવાથી વાસ્તુમાં રહેનારની સુરક્ષિતતા જળવાય છે. દા.ત., ઓમ, ગણપતિ, લક્ષ્મી, સ્વસ્તિક, મંગલ કળશ વગેરે.

બને ત્યાર સુધી બેડરૂમમાં અરીસો રાખશો નહી છતાં પણ જો તમે અરીસો રાખવા માંગતાં હોય તો તે વાતનું ધ્યાન રાખો કે તેમાં તમારા બેડનું પ્રતિબિંબ તો નથી પડતું ને.

બને ત્યાર સુધી તમારા બેડરૂમમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પણ ન રાખશો. કેમકે તે સંબંધોને પ્રભાવિત કરે છે.

બેડરૂમમાં ક્યારેય મંદિર પણ ન રાખશો.

ગુરુવાર, 12 સપ્ટેમ્બર, 2019

બનાસકાંઠા જિલ્લાના સરકારી શિક્ષક સંઘના આજના તા.૧૦-૦૯-૨૦૧૯ ના આ પ્રથમ વખતના જિલ્લા કક્ષાના એક દિવસીય અધિવેશનમાં સંઘના આમંત્રણને માન આપીને પધારેલા ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ ૩ મંડળના રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ઠાકર સાહેબ, કચ્છ ઘટક જિલ્લા પ્રમુખ શ્રી દિવ્યરાજસિંહ, બનાસકાંઠા જિલ્લાના  શિક્ષણ સેવા વર્ગ 2 આચાર્યશ્રીઓ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી માંથી પધારેલા ઈ.આઈ શ્રી , વિષય તજજ્ઞ તરીકે શ્રી  નયનભાઈ પરમાર , આદર્શ હાઇસ્કુલ ડીસા ના આચાર્ય શ્રી કે.પી રાજપુત,ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘ ઉપપ્રમુખ ગિરિશભાઈ રાવલ તેમજ આપણા સંઘના તમામ હોદ્દેદારો મિત્રો અને જિલ્લાના સરકારી શિક્ષક ભાઈ બહેનો  દ્વારા આપણા આ દિવસને સફળ બનાવવા બદલ આ બધાનો સરકારી શિક્ષક સંઘ બનાસકાંઠા  હ્રદયપૂર્વક આભાર માને છે. - શ્રી શાંતીલાલ ડી. જોષી ,પ્રમુખ, બનાસકાંઠા જિલ્લા શિક્ષણસેવા વર્ગ-૩ (નોન કેરીકલ) સંઘ